ભગવાન હનુમાન કળિયુગના દેવતા માનવામાં આવે છે. પ્રચલિત માન્યતાઓ મુજબ, ભગવાન હનુમાનનો જન્મ ઝારખંડના ગુમલા નામના જિલ્લાના ઉત્તર ક્ષેત્રમાં થયો હતો. અહીં એક ગુફાને ભગવાન હનુમાનજીનું જન્મ સ્થળ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, કળિયુગમાં તે ગુફા આપમેળે બંધ થઇ ગઈ, જેના પાછળનું કારણ ભગવાન હનુમાનની માતા અંજનીનો ગુસ્સો માનવામાં આવે છે.
● દેવી અંજનીના નામ પર પડ્યું આ જગ્યાનું નામ આંજનઃ-
ભગવાન હનુમાનની માતા અંજનીના નામથી જ આ ગામનું નામ આંજન પડ્યું. આ ગામ ગુમલા જિલ્લાથી લગભગ 22 કિમીના અંતરે છે. અહીં એકમાત્ર એવું મંદિર છે, જ્યાં ભગવાન હનુમાન માતાના ખોળામાં બેસેલાં જોવા મળે છે.
● આ માટે કળિયુગમાં બંધ થઇ ગયા ગુફાના દરવાજાઃ-
સ્થાનીય માન્યતાઓ મુજબ, ભગવાન હનુમાનનો જન્મ ગુમલા જિલ્લાના આંજનધામમાં સ્થિત એક પહાડની ગુફામાં થયો હતો. જે ગુફામાં ભગવાન હનુમાનનો જન્મ થયો હતો, તેના દરવાજા કળયુગમાં આપમેળે જ બંધ થઇ ગયા હતાં. ગુફાના દરવાજાને ભગવાન હનુમાનની માતા અંજનીએ સ્વયં બંધ કરી દીધા હતાં કારણ કે, સ્થાનિય લોકો દ્વારા ત્યાં આપવામાં આવેલી બલિથી તેઓ નિરાશ હતાં. આજે પણ આ ગુફા આંજન ધામમાં સ્થિત છે.
● 1953માં બનાવવામાં આવ્યું માતા અંજની અને હનુમાનજીનું મંદિરઃ-
આંજનધામમાં આજે એક નાનું મંદિર છે, જેની સ્થાપના ભગવાન હનુમાનના ભક્તોએ 1953માં કરી હતી. આ મંદિરમાં ભગવાન હનુમાન અને માતા અંજનાની સુંદર મૂર્તિ છે. અહીં ભગવાન હનુમાન પોતાની માતાના ખોળામાં બેસેલા જોવા મળે છે.
No comments:
Post a Comment