નમસ્કાર...મિત્રો આપ સૌનું મારા આ શૈક્ષણિક બ્લોગમાં સ્વાગત છે,અહીંં વિવિધ સંદર્ભોમાંથી સંકલિત કરેલ તેમજ મારા દ્વારા બનાવેલ શૈક્ષણિક સામગ્રી મુકવાનો એક નમ્ર પ્રયાસ છે..આશા છે કે આપને અહીં વારંવાર આવવાનુ ગમશે.

આજની આકાશવાણી

वह चीज जो दूर दिखाई देती है, जो असंभव दिखाई देती है, जो हमारी पहुच से बहार दिखाई देती है, वह भी आसानी से हासिल हो सकती है यदि हम तप करते है. क्यों की तप से ऊपर कुछ नहीं. That thing which is distant, that thing which appears impossible, and that which is far beyond our reach, can be easily attained through tapasya (religious austerity), for nothing can surpass austerity.

Saturday, November 21, 2015

●આયુર્વેદ ગુણોથી ભરપૂર : તેજાનો.


અનાજ અને રસોઇમાં ઉપયોગમાં લેવાતા રોજિંદા મસાલા બાદ રસોડામાં જો કંઈ સૌથી જરૂરી સામગ્રી હોય, તો તે છે ગરમ મસાલો. આપણા દરેકના રસોડામાં આ ગરમ મસાલો એટલે કે તેજાના તો હોય જ છે. તેજાના ભોજનનો સ્વાદ વધારવા માટે તો ઉપયોગમાં લેવાય છે, તદુપરાંત તેની સુગંધ ભોજનના સ્વાદને બમણો છે.
એટલું જ નહીં, સાધારણ લાગતા આ તેજાના અનેક ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે.
•સૂંઠ અને અજમો ક્રશ કરી તેમાં લીંબુનો રસ ભેળવો. આ મિશ્રણને છાંયડામાં સૂકવી તેમાં મીઠું ભેળવી દો. આનો ઉપયોગ પેટ વિકાર દરમિયાન કરો.
•ધાણા પાઉડરને ચાંદી પડી હોય ત્યાં એક મિનિટ માટે રાખી ગળી જાવ. મોંમાં પડેલી ચાંદી દૂર થઈ જશે.
•જીરાને લોઢી પર શેકી ક્રશ કરી લો. ઝાડા થયા હોય ત્યારે આ જીરાને એક ચમચી મધમાં ભેળવીને લેવાથી રાહત થશે.
•નાના બાળકને ઝાડા થયા હોય તો જાયફળ પાણીમાં લસોટી તે ચટાડવાથી સારું રહે છે.
•આખી મેથી ગરમ પાણી સાથે લેવાથી પેટના દુખાવામાં રાહત થાય છે. આ ઉપરાંત મેથીને લોઢી પર શેકી બારીક ક્રશ કરી લો. આ પાઉડર સવાર-સાંજ એક-એક ચમચી પાણી સાથે લેવાથી કમરના દુખાવા અને સંધિવામાં આરામ મળે છે.
•તજનો બારીક પાઉડર બનાવી તેમાં સહેજ પાણી ભેળવી માથું દુખતું હોય ત્યારે લગાવવાથી તરત સારું લાગે છે.

No comments: