નમસ્કાર...મિત્રો આપ સૌનું મારા આ શૈક્ષણિક બ્લોગમાં સ્વાગત છે,અહીંં વિવિધ સંદર્ભોમાંથી સંકલિત કરેલ તેમજ મારા દ્વારા બનાવેલ શૈક્ષણિક સામગ્રી મુકવાનો એક નમ્ર પ્રયાસ છે..આશા છે કે આપને અહીં વારંવાર આવવાનુ ગમશે.

આજની આકાશવાણી

वह चीज जो दूर दिखाई देती है, जो असंभव दिखाई देती है, जो हमारी पहुच से बहार दिखाई देती है, वह भी आसानी से हासिल हो सकती है यदि हम तप करते है. क्यों की तप से ऊपर कुछ नहीं. That thing which is distant, that thing which appears impossible, and that which is far beyond our reach, can be easily attained through tapasya (religious austerity), for nothing can surpass austerity.

Sunday, December 06, 2015

महान गणितशास्त्री-ભાસ્કરાચાર્ય●


● ભાસ્કરાચાર્ય-2●
જન્મ : 1114
મૃત્યુ : 1185
જન્મ- સ્થળ : બિજ્જલ બીડ , જી. બિજાપુર, કર્ણાટક

- ભારતીય ગણિતશાસ્ત્રના ઈતિહાસમાં મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યનું નામ આવે છે. તેઓ પ્રખર ગણિતશાસ્ત્રી અને સાથે જ્યોતિષશાસ્ત્રી પણ હતા.
- ભાસ્કરાચાર્યના વિદ્યાગુરુ અને પિતા મહેશ્વર હતા.
- ભાસ્કરાચાર્ય ખૂબ મહેનતું હતા. પરિશ્રમ માટે ક્યારેય થાકતા નહી. પોતાના કામ માટે ભૂખ, તરસ, નિદ્રા બધુ ભૂલી જતા. તે ખૂબ જ ઉત્સાહી હતા અને તેમની અવલોકનશક્તિ અદભૂત હતી. નિષ્ફળતાથી તેઓ ક્યારેય ગભરાતા નહી. તેમનામાં વિવેચન ક્ષમતા ઉચ્ચકોટીની હતી.
- ભાસ્કરાચાર્યની પુત્રીનું નામ લીલાવતી હતું. તેના નામ પરથી તેમણે 'લીલાવતી' નામનું અંકગણિતનું પુસ્તક પણ લખ્યું. જેમાં સારણીઓ, સંખ્યપ્રણાલી, શૂન્ય, ભિન્ન, આઠ પરિક્રમ, ત્રિરાશી, ક્ષેત્રમિતિ, શ્રેઢી, કકચ, ચિતિ, છાયા વગેરેનો ઉલ્લેખ છે.
- ભાસ્કરાચાર્યે શૂન્ય પર વ્યાપક વિવેચન કરેલ છે.
- ભાસ્કરાચાર્યે પોતાના અંકગણિતના પુસ્તકમાં સમીકરણ, વર્ગ-સમીકરણ, કુટ્ટક, કરણિયાનું વિવેચન કરેલ છે.
- પાઈના મૂલ્ય અને પાયથાગોરસના સૂત્રની સાબિતીમાં પોતાનું યોગદાન.
- તેમણે વૃતના ક્ષેત્રફળ, ગોળા તળ અને ગોળાના કદ માટે પરિમાણો આપ્યા છે.
- ભારત સરકારે તેમની યાદમાં પોતાના ભૂમિદર્શક અંતરિક્ષ-યાનને 'ભાસ્કર-2' નામ આપેલ છે.

For more updates....
~~~>bookmark this website and visit.
Thanks Friends.

No comments: