સૂર્યમુખીનું ફૂલ હંમેશાં સૂર્ય પ્રકાશ તરફ જ મોં રાખે.સૂર્ય પૂર્વમાંથી ઊગીને બપોરે માથે ચઢે અને સાંજે પશ્ચિમમાં આથમેતેની સામે સૂરજમુખીનું ફૂલ પણ ફરે છે.દરેક વનસ્પતિ સૂર્યપ્રકાશમાંથી ખોરાક મેળવે છે એટલે સૂર્યપ્રકાશનું આકર્ષણ વધુ હોય છે. સૂર્યમુખીના છોડમાં આ આકર્ષણ વધારે છે પરંતુ તે દિશા કેવી રીતે બદલે છે તે પણ જાણવા જેવું છે.સૂરજમુખીની આ લાક્ષણિકતાનું રહસ્ય તેની દાંડીમાં છે. સૂર્યના કિરણો દાંડી પર એક તરફ પડતા હોય છે. દાંડીનો પાછળનો ભાગ છાંયડામાં હોય છે.આમ દાંડી એક તરફ ગરમ થાય છે ત્યારે તેમાંથી ઓક્સીન નામનું દ્રવ્ય નીકળીને દાંડીના છાંયડાવાળા ભાગમાં વહે છે આ રસાયણથી દાંડી પણ તે તરફ ઝૂકે છે. સૂર્યપ્રકાશની સાથે દાંડીમાં આ દ્રવ્ય ધીમે ધીમે સરકતું જાય છે અને દાંડી તે તરફ ઝૂકે છે એટલે ફૂલ સૂર્યપ્રકાશ તરફ જ રહે છે.
No comments:
Post a Comment