કાર અને અન્ય વાહનો પેટ્રોલ કે ડીઝલ વડે ચાલે પરંતુ પેટ્રોલ કે ડીઝલ બળે ત્યારે ધૂમાડો પેદા થાય, પ્રદૂષણ ફેલાય. વિજ્ઞાનીઓએ પ્રદૂષણ ન થાય તે માટે ઇલેક્ટ્રિક વડે ચાલતાં વાહનો પણ બનાવ્યા છે. આ વાહનોમાં પેટ્રોલની ટાંકીની જગ્યાએ હાઇડ્રોજન ફયૂઅલ સેલ નામની બેટરી હોય છે. આ બેટરી હવામાંથી ઓક્સિજન મેળવી વીજળી પેદા કરે છે.
બેટરીને હાઇડ્રોજન પૂરો પાડવા અલગ ટાંકી હોય છે. બેટરીમાં ઇલેક્ટ્રિક પાવરથી મોટર ફરે છે અને તે વાહનના આગલા વ્હિલને ફેરવે છે. હાઇડ્રોજન ખલાસ થાય ત્યારે નવો ભરીને બેટરી રિચાર્જ કરાય છે. આ વાહનમાં પ્રદૂષિત વાયુ પેદા થતા નથી.