દેશનું ગૌરવનું પ્રતીક મનાતો આપણો રાષ્ટ્રધ્વજ, ત્રિરંગો ફરકાવતા દરેક ભારતીય ગૌરવ અનુભવે આવી જ એક ઘટનામાં સંરક્ષણ પ્રધાન મનોહર પારિકરે, રાંચીના પહાડી મંદિરની ટોચે ઉભા કરાયેલા દેશના સૌથી ઉંચા સ્તંભ પર, દેશનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.
આ પ્રસંગે બોલતા પારિકરે કહ્યું હતું કે, નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૧૯મી જન્મ જયંતિ નિમિત્તે દેશનો સૌથી ઉંચો અને સૌથી મોટો રાષ્ટ્રધ્વજ ફરકાવતા ગૌરવની લાગણી અનુભવું છું.
આ રાષ્ટ્રધ્વજ ૬૬ ફીટ પહોળો, ૯૯ ફીટ લાંબો અને ૨૯૩ ફીટ ઉંચા સ્તંભ ઉપર ફરકાવવામાં આવ્યો હતો. હવેથી આ ધ્વજ દેશનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ ગણાશે. આ પૂર્વે ફરીદાબાદમાં ગત વર્ષે ફરકાવાયેલો ધ્વજ દેશનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ ગણાતો હતો જે ૨૫૦ ફીટ ઉંચો સ્તંભ પર ફરકાવાયો હતો તેના પર ફરકતા ધ્વજની લંબાઈ ૯૬ ફીટ X ૬૪ ફીટ હતી.