નમસ્કાર...મિત્રો આપ સૌનું મારા આ શૈક્ષણિક બ્લોગમાં સ્વાગત છે,અહીંં વિવિધ સંદર્ભોમાંથી સંકલિત કરેલ તેમજ મારા દ્વારા બનાવેલ શૈક્ષણિક સામગ્રી મુકવાનો એક નમ્ર પ્રયાસ છે..આશા છે કે આપને અહીં વારંવાર આવવાનુ ગમશે.

આજની આકાશવાણી

वह चीज जो दूर दिखाई देती है, जो असंभव दिखाई देती है, जो हमारी पहुच से बहार दिखाई देती है, वह भी आसानी से हासिल हो सकती है यदि हम तप करते है. क्यों की तप से ऊपर कुछ नहीं. That thing which is distant, that thing which appears impossible, and that which is far beyond our reach, can be easily attained through tapasya (religious austerity), for nothing can surpass austerity.

Wednesday, December 14, 2016

પર્વતો વિશે આટલું જાણો



પૃથ્વીની સપાટીના ઉપલા પોપડાની ટેક્ટોનિક પ્લેટો એક બીજા સાથે દબાય છે ત્યારે જમીન ઊંચકાઈને પર્વત બને છે. લાખો વર્ષની પ્રક્રિયાથી પૃથ્વી પર અનેક પર્વતો બન્યાં છે. હવાના ધસારા અને ગરમી ઠંડીની અસરથી પર્વતોના વિવિધ આકારો બને છે.
સામાન્ય રીતે ૩૦૦ મીટરથી વધુ ઊંચાઈના વિસ્તારને પર્વત કહેવાય છે. પૃથ્વી પરનો સૌથી મોટો પર્વત હિમાલય છે તેમાં ૭૦૦૦ મીટર કરતાં ઊંચા ૧૦૦થી વધુ શિખરો છે. સામાન્ય પર્વતને કોલ્ડ માઉન્ટેન કહે છે પરંતુ અગ્નિકૃત ખડકોના બનેલા પર્વતની ટોચે મુખમાંથી લાવારસ બહાર ફેંકાય છે તેને જ્વાળામુખી પર્વત કહે છે.
પૃથ્વી પર લગભગ ૧૫૦૦ જેટલા જ્વાળામુખી પર્વતો છે. જ્વાળામુખી સક્રિય થાય ત્યારે ટોચેથી લાવારસ, અગનજ્વાળાઓ અને રાખના રજકરણો વાતાવરણમાં ફેંકાય છે અને હોનારત સર્જાય છે. ઈટાલીનો સ્ટ્રોમ્બોલી જ્વાળામુખી કાયમ સક્રિય રહેતો જ્વાળામુખી છે. વિશ્વનો સૌથી ઊંચો જ્વાળામુખી હવાઈ ટાપુ પરનો માઉના લોયા ૧૩૦૦૦ ફૂટ ઊંચો છે.
પૃથ્વીની સપાટીનો પાંચમો ભાગ પર્વતો રોકે છે. દુનિયાની વસતિના  ૧૦ ટકા લોકો પર્વતો પર રહે છે.

No comments: